Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

'આપ'ના શહેર મહિલા સંગઠનમંત્રી અર્ચનાબેન કથીરીયાનો જન્મદિન

રાજકોટ : શહેર મહિલા સંગઠનમંત્રી અર્ચનાબેન કથીરીયાનો આજે જન્મદિવસ છે. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર મહિલા સંગઠનના મંત્રી એવા અર્ચનાબેન કથીરીયા કે જેઓ કોમ્પ્યુટર એન્જીનિયર, એમબીએ ફાઈનાન્સ એન્ડ માર્કેટીંગ ક્ષેત્રના નિષ્ણાંત છે અને ૧૪ વર્ષનો અલગ અલગ કંપનીઓમાં મેનેજર તરીકેનો અનુભવ મેળવી ચૂકેલ છે. તેઓ વિદ્યાર્થીકાળમાં એનસીસી આરડી પરેડમાં ગુજરાત બેસ્ટકેટેડ દિલ્હી, રાઈફલ શૂટીંગ દિલ્હીમાં ઈન્ડિયા ફર્સ્ટ તેમજ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગુજરાત ગવર્નર સન્માનિત થયેલ છે. તેઓ કલા, નૃત્ય, શાસ્ત્રીય સંગીત, રમત - ગમત, વકતૃત્વ જેવા અનેક ક્ષેત્રમાં મેડલ્સ મેળવી ચૂકેલ છે. તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. ૪૦માં જન્મદિન નિમિતે શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. મો.૭૦૨૧૯ ૪૩૨૬૦.

(11:34 am IST)