Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

એડવોકેટ એન્ડ નોટરી તથા રાજકોટ બાર એસો.ના કારોબારી સભ્ય કેતનભાઇ મંડનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૦ : જાણીતા એડવોકેટ અને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિયકત થયેલ કેતન વી. મંડનો આજે જન્મ દિવસ છે. રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્યપદે ચુંટાઇ આવેલ કેતનભાઇ વોઇસ ઓફ લોયર્સ, લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન, રાજકોટ રેવન્યુ બાર એસો. અને વિવિધ બાર એસો. સાથે તેમજ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મુળ વતન વડાળી ગામ અને રાજકોટને કર્મભુમી બનાવી જાણીતા ધારાશાસ્ત્રી શ્રી રાજશીભાઇ વારોતરીયાના માર્ગદર્શન હેઠળ વકીલાત ક્ષેત્રે ઝળહળતી સિધ્ધી હાંસલ કરનાર કેતનભાઇ નિવૃત્ત તલાટીમંત્રી વાજસુરભાઇ મંડના પુત્ર થાય છે.  સફળ જીવનના ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૮૨૪૮ ૮૫૩૪૬ છે.

(1:03 pm IST)