Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

વાંકાનેરના ‘અકિલા'ના પત્રકાર મહમદભાઇ રાઠોડનો જન્‍મદિન

વાંકાનેર તા.ર૪ : વાંકાનેર સામાજીક આગેવાન અકિલાના પત્રકાર મહમદભાઇ રાઠોડનો આજે જન્‍મદિવસ છે તેઓના ૭૬માં વર્ષમાં પ્રવેશ થયો છે.  મહમદભાઇ રાઠોડ, વાંકાનેરની ઐતિહાસિક દરગાહ મલંગ હજરત શાહબાવા (કે જેઓએ વાંકાનેર વસાવ્‍યું) ટ્રસ્‍ટના ડાયરેકટર છે. મુસ્‍લિમ સમાજના મહામંત્રી, કસ્‍બા કબ્રસ્‍તાનના પ્રમુખ તેમજ રાષ્‍ટ્રીય  પક્ષ બહુજન સમાજ પાર્ટીના વાંકાનેર વિધાનસભાના  સંયોજક છે.અકિલા દૈનિક શરૂ થયુ ત્‍યારે ૧૯૭૯માં મોરબી જળ હોનારત વેળા અકિલાનો ખાસ વધારો માત્ર ૧૦ પૈસામાં મળતો હતો. મહમદભાઇ રાઠોડ મોરબી તથા વાંકાનેરમાં આ ખાસ વધારો વેંચતા ત્‍યારે લોકો પણ ખુબ રસ પુર્વક આ પ્રતો વાંચતા માંગતા ત્‍યારથી લઇ અત્‍યાર સુધીમાં મહમદભાઇ સતત અકિલા સાથે જોડાયેલ રહયા છે અને આજે ૭૬માં વર્ષે પણ તેઓમાં એજ ધગશ અને શારીરીક તંદુરસ્‍તી પણ જોવા મળે છે. મો.૯રર૮પ ૬ર૪ર૬ - ફોન રર૦૭૮૬

(3:33 pm IST)