Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પાણી પુરવઠાના અધિક મુખ્‍ય સચિવ સી.વી. સોમનો જન્‍મદિન

રાજકોટઃ. ગુજરાતના નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી ચંદ્ર વેણુ સોમનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ બિહારના વતની અને ૧૯૯૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મધ્‍યાહ્‌ન ભોજન કમિશનર, શાળાઓ માટેના કમિશનર, નાગરિક પુરવઠા નિગમના એમ.ડી., સામાન્‍ય વહીવટ વિભાગ અને યુવા સેવા સાંસ્‍કૃતિક વિભાગના અધિક મુખ્‍ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૬૪
મો. ૯૯૭૮૪ ૦૬૧૦૫ - ગાંધીનગર

 

(10:12 am IST)