Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

તામિલનાડુમાં ફરજ બજાવતા IAS અધિકારી જયંતી રવિનો જન્‍મદિન

રાજકોટ : મૂળ તામિલનાડુના વતની અને ગુજરાત કેડરના ૧૯૯૧ બેચના આઇ.એ.એસ અધિકારી ડો.જયંતી રવિનો જન્‍મ તા. ૧૭ ઓગષ્‍ટ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી હાલ તામિલનાડુમાં પોેંડેચરી પાસેની ઓરોવિલે ફાઉન્‍ડેશન નામની સરકારી સંસ્‍થામાં સચિવ પદે ફરજ બજાવે છે.

જયંતી રવિ ભૂતકાળમાં પંચમહાલ જિલ્લા કલેકટર, સુરતમાં મ્‍યુનિસિપલ કમિશનર, રાજ્‍યમાં શાળાઓ માટેના કમિશનર, આરોગ્‍ય કમિશનર, ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. રાજ્‍યના આરોગ્‍ય વિભાગના અગ્રસચિવ તરીકે તેમણે કોરોના સામેની લડતમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું. (૨૨.૧૧)

ફોન નં. ૦૪૧૩-૨૨૨૨૦૦૭

મો. ૯૯૭૮૪ ૦૬૦૧૮ તામિલનાડુ

(10:16 am IST)