Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વોર્ડ નં.૧ના કોર્પોરેટર દુર્ગાબાનો આજે જન્‍મદિન

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧માં ભાજપના કોર્પોરેટર દુર્ગાબા જયદિપસિંહ જાડેજાનો આજે તા. ૨૮ જૂનના જન્‍મદિવસ છે. તેઓએ યશસ્‍વી જીવનના ૪૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દુર્ગાબા છેલ્લા ૧૦ વર્ષથી ભાજપ સાથે જોડાઇને ગાંધીગ્રામ વિસ્‍તારવાસીઓના પ્રશ્ને સતત કાર્ય કરી રહ્યા છે. ૨૦૧૫માં પ્રથમ વખત રાજકોટ મ્‍યુ.કોર્પોરેશનની ચૂંટણી વોર્ડ નં. ૧માં લડી ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો. પ્રથમ ટર્મમાં વિસ્‍તારનાં લોક પ્રશ્નો ઉકેલવા સતત દોડતા રહી સમસ્‍યા હલ કરવા અગ્રેસરની ભજવી હતી. તેઓને ૨૦૨૧માં યોજાયેલ મ.ન.પા.ની ચૂંટણીમાં ફરીથી પાર્ટીએ વિશ્વાસ મૂકી ટીકીટ ફાળવાઇ. સતત બીજી ટર્મમાં કોર્પોરેટર પદે ચૂંટાયા છે.  તેઓ ભગીની ફાઉન્‍ડેશન અને ગાંધીગ્રામ મહિલા ક્ષત્રિય સંગઠન સહિત વિવિધ અન્‍ય સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. આજે દુર્ગાબાના જન્‍મદિવસે પરિવારજનો, રાજકીય અગ્રણીઓ શુભેચ્‍છાઓ દ્વારા વર્ષા વરસી રહી છે.

(3:30 pm IST)