Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉર્જા વિકાસ નિગમના એમ. ડી. જયપ્રકાશ શિવહરેનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ : ગુજરાતના સચિવ શ્રી જયપ્રકાશ શિવહરેનો જન્‍મ તા. પ જૂલાઇ ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ હાલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે કાર્યરત છે. આ અગાઉ રાજયના આરોગ્‍ય કમિશનર હતાં.

રાજયના અગ્રીમ હરોળના કોરોના યોધ્‍ધા શ્રી જયપ્રકાશ શિવહરે ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા, સુરત અને તાપીમાં જિલ્લા કલેકટર, ધોલેરા સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજીયનમાં મુખ્‍ય વહીવટી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ ઉતર પ્રદેશના વતની અને ર૦૦ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. મો. ૯૯૭૯૦ ૦પ૬પ૬ ગાંધીનગર

(1:14 pm IST)