Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સચિવ અશ્વિનીકુમારનો સ્નેહનો સેતુ, પ્રજાલક્ષી હેતુ : હેપ્પી બર્થ ડે

રાજકોટ : મુખ્યમંત્રીના સચિવ તરીકે ફરજ બજાવતા સનદી અધિકારી શ્રી અશ્વિનીકુમાર આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ તા. ૨૮ એપ્રિલ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

શ્રી અશ્વિનીકુમાર મૂળ યુપીના વતની અને ૧૯૯૭ની બેચના આઇ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી અને રાજકોટ તથા ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તથા જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા હોવાથી સૌરાષ્ટ્ર સાથે વિશેષ આત્મીય નાતો રહ્યો છે. ઉપરાંત વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર, આદિજાતિ વિકાસ કમિશનર, શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી., શહેરી વિકાસ વિભાગમાં સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૦૨૩, મો. ૯૯૭૮૪ ૦૭૨૫૧ - ગાંધીનગર

(11:19 am IST)