Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

તેજ, તાકાત, તરવરાટવાળા ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાનો જન્મદિન

રાજકોટ : જિલ્લા વિકાસ અધિકારી તરીકે રાજકોટમાં કાર્યકાળના ૩ વર્ષ પુરા કરનાર શ્રી અનિલકુમાર રાણાવાસિયાનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૯૮૭ના દિવસે થયેલ. આજે ૩૫ વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

મુળ બનાસકાંઠા જિલ્લાના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ભૂતકાળમાં ખેડાના ઠાસરામાં મદદનીશ કલેકટર તેમજ ચૂંટણી પંચ અને નાગરિક પુરવઠા વિભાગમાં ફરજ બજાવી છે. જિલ્લા પંચાયતમાં પડકારો વચ્ચે તેમણે વહીવટી વિકાસની ગતિ અને પ્રગતિ જાળવી રાખી છે.

ફોન નં. ૦૨૮૧-૨૪૭૭૦૦૮

મો. ૯૯૭૮૪ ૦૬૨૪૫. રાજકોટ

(10:20 am IST)