Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

આવાજ કી દુનિયા કે દાસ્તો...

શીંગાળા સાઉન્ડવાળા જગદીશભાઇનો આજે જન્મદિન

રાજકોટ તા. ૩૦ : રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનથી માંડી સામાન્ય કાર્યકરનો અવાજ વિવિધ સમારંભોમાં છેવાડાના શ્રોતા સુધી પહોંચાડનાર ગુજરાતમાં સાઉન્ડ સીસ્ટમના નિષ્ણાંત રાજકોટના શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઇ ચુનીભાઇ શીંગાળાનો આજે તા.૩૦ એપ્રિલે જન્મદિન છે તેઓ ૭૦ માં વર્ષમાં પ્રગતી સાથે મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તા. ૩૦/૪/પ૧ ના જન્મેલા જગદીશભાઇ શીંગાળાની સાઉન્ડ સીસ્ટમનો દેશના તમમ રાજકીય પક્ષોના મોટા ભાગના રાષ્ટ્રીય નેતાઓથી માંડી સ્થાનીક અગ્રણીઓ અને કાર્યકરો તેમજ સામાજીક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓએ લાભ લીધો છે. તેમના ૭૦ માં વર્ષમાંં પ્રવેશ પ્રસંગે  તેઓને (મો.૯૪ર૬૭ ૮ર૭૮૮) મિત્રો શુભેચ્છકો ઠેરઠેરથી અભિનંદન પાઠવી રહ્યા છે.

(2:50 pm IST)