Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

શુભેચ્છાથી ભીંજાતા એ.કે.રાકેશ, અધિક મુખ્ય સચિવનો જન્મદિન

સામાન્ય વહીવટની કડી, સર્વથી વડી

રાજકોટ : રાજ્યની વહીવટી પ્રક્રિયામાં સૌથી મહત્વની ભૂમિકા ધરાવતા સામાન્ય વહીવટ વિભાગના સર્વોચ્ચ વહીવટી વડા શ્રી એ.કે.રાકેશનો જન્મ તા. ૨૧ જુલાઇ ૧૯૬૪ના દિવસ થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના ૫૮માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે.

શ્રી અમરેન્દ્રકુમાર રાકેશ મૂળ બિહારના ગયા જિલ્લાના ટેકરી તાલુકાના અમરપુર ગામના વતની અને ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી છે. તેઓ અગાઉ ભાવનગર અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ, પંચમહાલ અને પાટણમાં જિલ્લા કલેકટર, નર્મદા વિભાગમાં સંયુકત સચિવ, રાજ્યમાં વિકાસ કમિશનર, નિર્મળ ગુજરાત અભિયાન નિયામક, નાગરિક પુરવઠા નિગમમાં મેનેજીંગ ડીરેકટર, કુટીર ઉદ્યોગ કમિશનર, મેરીટાઇમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે પદ શોભાવી ચૂકયા છે. આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં. ૦૭૯૨૩૨ - ૫૦૩૧૧, મો. ૯૯૭૮૪ ૦૭૩૨૮ ગાંધીનગર

(11:44 am IST)