Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પી.પનીરવેલ ઝીંદાવાદ.. નિવૃત અધિક મુખ્‍ય સચિવનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત આઇ.એસ.એસના કેડરના અધિક મુખ્‍ય સચિવ કક્ષાના નિવૃત અધિકારી શ્રી પી.પનીરવેલનો જન્‍મ તા. ૧૭ સપ્‍ટેમ્‍બર ૧૯૫૩ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના ૭૦માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેમણે એમ.એસ.સી કર્યા બાદ ઓસ્‍ટ્રેલિયામાંથી એમ.બી.એ.ની પદવી મેળવી છે. ભૂતકાળમાં અમદાવાદ મ્‍યુનિસિપલ કમિશનર ઉપરાંત રાજ્‍યમાં શિક્ષણ, મહેસુલ, શ્રમ રોજગાર વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. હાલ તેઓ કેન્‍દ્ર સરકારમાં શિક્ષણ, મહેસુલ, શ્રમ રોજગાર વિગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. હાલ તેઓ કેન્‍દ્ર સરકાર પ્રેરિત ‘સ્‍ટુડન્‍ટસ એચીવમેન્‍ટ ટ્રેકીંગ સિસ્‍ટમ' પ્રોજેકટ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સમયને અનુરૂપ સુધારા માટે યોગદાન આપેલ છે. આ કામગીરીનું કાર્યક્ષેત્ર દેશના વિવિધ રાજ્‍યો છે. તેઓ હાલ શિક્ષણ, ગ્રામ વિકાસ, જન આરોગ્‍ય વગેરે વિષય પર સુશાસનને લગતી કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત શ્રી પી.પનીરવેલ સામાજિક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. વધે તેમની નામના એવી જન્‍મદિન શુભકામના.

મો. ૯૯૭૮૪ ૦૬૧૦૯ અમદાવાદ

(1:11 pm IST)