Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પત્રકાર ગિરીશ ભરડવાનો વનપ્રવેશઃ આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૩: પત્રકારીત્‍વ ક્ષેત્રે છેલ્લાં ૨૭ વર્ષથી કાર્યરત ગિરીશ ભરડવાનો જન્‍મ ૨૩ના જન્‍મદિન છે. મુળ જુનાગઢના મજેવડીના વતની ગિરીશએ પ્રારંભથી જ પત્રકારીત્‍વને પોતાનું ક્ષેત્ર બનાવ્‍યું છે. આજે જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પત્રકારીત્‍વની સાથે તેઓ કવિ પણ છે. તેમના બે કાવ્‍ય સંગ્રહો મુકામ અને શિલ્‍પએ પારિતોષિકો પણ મેળવ્‍યા છે. હાલ તેઓ ધ ર્બનિંગ ન્‍યૂઝના એક્રેડિટેડ એડિટર અને ઇન્‍ડિયા ર્મોનિંગ તથા નિર્ભય ભારત સહિતના અનેક અખબારોમાં સહતંત્રી તરીકે સેવાઓ આપે છે. તેઓ અખિલ ભારતિય પ્રજાપતિ શિક્ષિત સમાજના કન્‍વીનર પણ છે. તેમને (મોબાઇલ નં. ૯૯૨૪૧ ૧૧૮૭૨ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(11:27 am IST)