Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રાજકોટ જીલ્‍લા પેન્‍શનર અને સિનીયર સીટીઝન સમાજના પ્રમુખ એમ.એ.પંજાનો કાલે ૮૪મો જન્‍મદિન

 જુનાગઢ જીલ્‍લાના માંગરોળ ગામે તા.૨૫ સપ્‍ટેમ્‍બર, ૧૯૩૯ના રોજ જન્‍મેલ કર્મચારી તથા મુસ્‍લિમ અગ્રણી મહંમદ યુસુફ પંજા (એમ.એ.પંજા) કાલે ૮૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. ૧૯૬૦થી માંગરોળ ખાતે આરોગ્‍ય ખાતામાં મેલેરીયા વિભાગમાં નોકરીમાં શરૂઆત કરેલ. ત્‍યારબાદ ૧૯૬૩માં ભુજ-કચ્‍છ ખાત ેબઢતી મળતા ત્‍યાં ફરજ બજાવેલ. ૧૯૬૪માં રાજકોટ ખાતે બદલી થતાં રાજકોટ ખાતે ૧૯૬૫માં યુનિયનની સ્‍થાપના કરેલ. ૧૯૭૨માં જુદા જુદા મંડળો સાથે સંકલત કરી ૧૯૭૨માં કર્મચારી મહામંડળ(રાજયકક્ષા)ની હડતાળમાં સક્રિય રસ લઇ ઘનશ્‍યામભાઇ ઓઝાની સરકારમાં ધરપકડ વહોરી આંદોલન સફળ બનાવેલ. ગુજરાત રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ તથા રાજકોટ જીલ્‍લા આરોગ્‍ય કર્મચારી મહામંડળ(રાજયકક્ષાના તથા વિવિધ કર્મચારી મહાસંઘના કન્‍વીનર) પદે રહી અન્‍યાયો સામે અવાજ ઉઠાવી સેવા બજાવેલ.
ગુજરાત કર્મચારી ઉત્‍કર્ષ મંડળના પ્રમુખ તરીકે હાલમાં સલાહકાર તરીકે સેવા આપી અન્‍યાયો સામે અવાજ ઉઠાવી સેવા હાલમાં પણ આપી રહ્યા છે. તા. ૩૦/૯/૯૭ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત થયેલ છે. છતા પુરા જોમ જુસ્‍સાથી કર્મચારીઓ તથા પેન્‍શનરોના પ્રશ્નો અંગે હજુ લડત આપી રહેલ છે. તેમજ ધારાસભા રાજકોટ (૨)ની પેટા ચૂંટણીમાં મુખ્‍યમંત્રી શ્રીનરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લેડલ. વોર્ડ નં.૩, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડેલ.
ગુજરાત પેન્‍શનર ફેડરેશન ઉપપ્રમુખ તથા ઝોનલ પ્રમુખ, મુસ્‍લિમ સંસ્‍થા રાજકોટ શહેર જુમ્‍માં મસ્‍જીદમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે. રાજકોટ નવાબ મસ્‍જિદ દાણાપીઠ સેક્રેટરી તરીકે ૮ વર્ષ. અલ્‍કાબા મસ્‍જીદના જોઇન્‍ટ સેક્રેટરી તરીકે સેવા આપેલ હતી. (મો.૮૪૦૧૯ ૩૦૫૧૪, ૬૩૫૫૩ ૭૫૨૯૪, ૧૪-કુંભારવાડા, જુની જેલ પાછળ, બગદાદ મંઝીલ, રાજકોટ)

 

(10:39 am IST)