Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢ કૃષિ યુનિ. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.જી.આર. ગોહિલનો જન્મદિન

જુનાગઢ ડો.જી.આર. ગોહિલનો આજે જન્મ દિવસ છે.

તેઓ પહેલી જુન ૧૯૬૦ જન્મેલા તેઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સહ વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે ફરજ બજાવે છે. તેમણે યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણમાં કામ કરેલ છે હાલ વિસ્તારણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીમાં યુનિવર્સિટીમાં જે સંશોધનો થયા હોય તે સંશોધનોને લાઇન ડીપાર્ટમેન્ટ અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ, સ્વાયત સંસ્થાઓ, ફોરેસ્ટ ડીપાર્ટમન્ટ, ખેડુત કામ કરતી વિવિધ સંસ્થાઓ, ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ,ખેડુત કામ કરતી વિવિધ સંસ્થાઓ, ખેડુતો, મહિલાઓ વગેરેને પહોંચાડવા માટેની તાલીમો આપે છે. તદ્દ ઉપરાંત ૧ર૦૦ ઇનપુટ ડીલર્સના કોર્ષમાં કોર્ડીનેટર તરીકે ફરજ બજાવેલ છે.

તેઓએ ૧૦ આંતરરષટ્રીય અને ૧પ રાષ્ટ્રીય કક્ષાના સંશોધન પેપરો લખ્યા છે. તદ્દ ઉપરાંત જુદા જુદા ખેતી વિષયક મેગેજીનો જેવા કે કૃષિ જીવન, ખેતીની વાત, ખોડલધામ મેગેીન, સમુદૂધ ખેતી, કૃષિ ગોવિદ્યા, કૃષિ વિજ્ઞાન, ગ્રામ સેતુ વગેરેમાં ૧૩૦ થી વધુ લેખો લખેલા છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ તેમજ કોમ્યુનીટી રેડીઓમાં ખેતી લક્ષી માસિક ખેતી કાર્યો પણ આપે છે. વર્તમાન પત્રોમાં પણ અઠવાડિક ખેતી કાર્યો લખે છે.  સારા લેખક બદલ કૃષિયો વિદ્યાએ એવોર્ડ આપેલ છે.

(12:48 pm IST)