Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ હેલ્પગ્રુપના ભૂપતભાઇ મહેતાનો જન્મદિન

જુનાગઢ : સદગુરુ મુકતાનંદ બાપુ ના કૃપા પાત્ર અને શ્રી ભરાડના સરસ્વતી કલાસમાં પટાવાળા કમ કલાકૅથી  કારકિર્દી ની શરૂઆત કરી શિક્ષક સુધીની સફર કરનાર  ભુપતભાઇ મહેતાનો આજે જન્મદિન છે.

તેઓ ૨૪ વષૅની ઉમરે  રા. બ્રા. જ્ઞાતિ સેવા સંઘના પ્રચારક  તરીકે કામ કરેલ તેમા સંધના  મંત્રીશ્રી ધીરૂભાઈ મહેતા  અને  યુવા સોશ્યલ ગૃપના પ્રમુખ જતીનભાઈ ભરાડ  અને  ડો. નવલભાઈ શીલુના  માગૅદશૅન મુજબ ઘરે ઘરે થી લાગો ઉઘરાવવો અને એક કુટુંબ ફોમૅ ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેની કામગીરી કરી. રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવનના પ્રમુખ સ્વ. ઉમેશભાઈ જોશી  સાથે વ્યવસ્થાપક કમિટીના  ખજાનચી  તરીકે સેવાઓ આપી ત્યાર બાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના  પ્રમુખ જયવીનભાઈ દવે  ના કાયૅકાળ દરમિયાન રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના  કાર્યાલય મંત્રી  તથા રાજગોર બ્રાહ્મણ સમાચારના  સહ તંત્રીશ્રી  તરીકે કામ કર્યું. તેમજ વતૅમાન  પ્રમુખ રસિકભાઈ જોશીના  માગૅદર્શન પ્રમાણે રાજગોર બ્રાહ્મણ સમાચારના  સહ તંત્રી  ત્યાર બાદ રાજગોર બ્રાહ્મણ સમાચારના  તંત્રીશ્રી  તરીકે કામ કરેલ. રાજગોર બ્રાહ્મણ હેલ્પ ગૃપમાં જ્ઞાતિના ૫૦૦૦ લોકોને  છેલ્લા દોઢ વર્ષથી ઘર બેઠાં જ્ઞાતિના સમાચાર આપતા એવા રાજગોર બ્રાહ્મણ હેલ્પ ગૃપના એડમીન ભૂપતભાઈ મહેતા  ને ૫૨ માં જન્મદિવસ નિમિત્તે તેમના મો. નં. ૯૮૨૪૫ ૫૫૦૩૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:48 pm IST)