Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢનાં પૂ. હરીહરાનંદ ભારતીયબાપુનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧ : જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિધ્ધ ભારતી આશ્રમનાં ગાદીપતિ અને આંતરરાષ્ટ્રીય સાધુ સમાજનાં અધ્યક્ષ ૧૦૦૮શ્રી મહંતશ્રી હરીહરાનંદ ભારતીબાપુનાં આજે પ૭ માં જન્મદિવસ પ્રસંગે સેવક ગણ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. અને સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મલીન સંત મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીયજી મહારાજનાં ઉતરાધીકારી અને વરીષ્ઠ સંત કે જેઓ આંતરરાષ્ટ્રીય સાધુ સમાજનાં અધ્યક્ષ પણ છે તેઓ દ્વારા સર્વેસમાજ પ્રત્યે અનન્ય લાગણી, દયાપ્રેમ સેવા તેમજ અનેક સેવાકીય કાર્યો પણ સતત કરતા રહે છે.

પૂ. હરીહરાનંદજી બાપુ દ્વારા ભવનાથ ખાતે યોજાતા શિવરાત્રી મેળો, પરીક્રમાનો મેળો તેમજ હરદ્વાર ખાતે કુંભનો મેળો આ મેળામાં આવનારા સાધુ, સંતો, ભાવિકો માટે પ્રસાદથી લઇને યોગ્ય વ્યવસ્થા કરવી તેમજ આશ્રમમાં આવનારા સાધુ, સંતો, ભાવિકો માટે પ્રસાદથી લઇને યોગ્ય વ્યવસ્થા કરવી તેમજ આશ્રમમાં આવનારા દરેકને આવકાર સાથે પ્રસાદ પણ લેવડાવવો. તેમજ જુનાગઢ ભારતી આશ્રમ, અમદાવાદ સરખેજ આશ્રમ, નર્મદા ખાતે આવેલ આશ્રમ સહિતનાં આશ્રમ ખાતે સેવાકીય કાર્યો અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. મો. ૯૪ર૭૭૪૩પ૪પ.

(3:13 pm IST)