Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સાવરકુંડલાના પત્રકાર ઇંદ્રિશભાઇ જાદવ અને તેની પુત્રીઓનો જન્મદિન

સાવરકુંડલા, તા.૧૩: પત્રકારત્વ ક્ષેત્રે ધીરગંભીર ગણાતા સાવરકુંડલાના ગુજરાત ટુડે ના પત્રકાર ઈંદ્રિશભાઈ જાદવ અને તેની બન્ને વહાલસોય દીકરી ઇશા અને ઇરમ પણ એજ દિવસે જન્મદિવસનો ત્રિવેણી સંગમ આજે છે ને ઈંદ્રિશભાઈ જાદવના જન્મદિવસના ત્રિવેણી સંગમ પર મિત્રો શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવાઈ રહ્યા છે.

સાવરકુંડલા શહેરમાં મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલા ઈંદ્રિશભાઈ જાદવ સાવરકુંડલા શહેર તાલુકાના પ્રાણ પ્રશ્નો ને લઈને હંમેશા જાગૃત રહ્યા છે ને દરેક ન્યૂઝને પોતાની આગવી ધારદાર કલમ વડે વાચા આપીને પ્રશ્ન નું નિવારણ ન આવે ત્યાં સુધી તંત્ર સામે મોરચો માંડનાર ઈંદ્રિશભાઈ જાદવના જન્મદિવસના અવસર સાથે જ તેમની વ્હાલસોયી બન્ને લાડકવાયી દીકરી ઓ ઇશા અને ઇરમ પણ એજ તારીખે જન્મ લીધેલો હોય જેથી બાપ-દીકરી ના જન્મદિવસની ઉજવણી પણ સજોડે કરવાનો ત્રિવેણી સંગમ જોગાનું જોગ હોય ત્યારે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા ઈંદ્રિશભાઈ જાદવ સાવરકુંડલા મુસ્લિમ સિપાહી સમાજમાં ઉપપ્રમુખ પદે સેવા આપી ચૂકેલા છે ને અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના ખાસ ખાદીમ તરીકે પણ ઈંદ્રિશભાઈ જાદવની ગણના થતી હોય ને લીમડીચોક વિસ્તારમાં અડધી રાતનો હોંકારો ગણાતા ઈંદ્રિશભાઈ જાદવને જન્મદિવસના સુવર્ણ અવસર પર ૯૮૨૪૮૮૩૭૮૫ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(12:58 pm IST)