Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સેવાકીય પ્રવૃતિ કરતા અને ઉદ્યોગપતિ રાજેશભાઇ પુજારાનો જન્મદિનઃ ૫૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શ્રી રાજેશભાઇ પુજારાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશી રહયા છે. વાંકાનેર શ્રી બાલકૃષ્ણજી હવેલીના મોરબી ટ્રસ્ટી, શ્રી મહાપ્રભુજીના બેઠકજીના  ટ્રસ્ટી, વાંકાનેર શ્રી અંધઅપંગ ગૌઆશ્રમમાં સેવા આપી રહયા છે. તેમજ વાંકાનેર વૃજ ઇન્ડસ્ટ્રીઝ જે સપ્પાઇસીઝ મસાલાના નામની કંપની ધરાવે છે.

તેઓ ૫૧ વૃક્ષો ૩ વર્ષ માટે દત્ત્તક લીધેલ છે અને તેનો ઉછેર કરશે. કોરોના કાળમાં રાશનકીટ વિતરણ કરેલ, તેમજ દ્વારીકામાં સંચાલીત રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માતુશ્રી વિરબાઇમાં આદર્શ લગ્નોત્સવમાં ૫૧ દિકરીઓના લગ્નના યજમાન બનેલા. મો.૯૮૨૫૮ ૮૨૨૫૫

(11:39 am IST)