Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કાલે ગુજરાત મુલ્‍કી સેવા પંચના અધ્‍યક્ષ રાજગોપાલનો જન્‍મદિન

રાજકોટના પૂર્વ કમિશનર, અમરેલીના પૂર્વ કલેકટર

રાજકોટ, તા.૨૮: ગુજરાતના અધિક  મુખ્‍ય સચિવ પદેથી નિવૃત થયા બાદ સિવીલ સર્વીસીઝ ટ્રીબ્‍યુનલના પ્રેસીડેન્‍ટ તરીકે સેવા આપી રહેલા શ્રી રાજગોપાલ (આઇ.એ.એસ.૧૯૮૭)નો જન્‍મ તા.૨૯ જાન્‍યુઆરી ૧૯૫૯ના દિવસે થયેલ આવતીકાલે ૬૫માં વર્ષમાં પ્રવેશ કરશે. અલ્‍હાબાદના વતની છે.

શ્રી રાજગોપાલે ૧૯૯૯ના અરસામાં રાજકોટના મ્‍યુનિસિપલ કમિશનર તરીકે જળસંકટ હળવુ કરવા સઘન સફળ પ્રયાસો કરી ચાહના મેળવી હતી. તેઓ ભાવનગર જીલ્લા વિકાસ અધિકારી, અમરેલી જિલ્લા કલેકટર, રાજયમાં મનોરંજન કર કમિશનર, સ્‍પેશ્‍યલ સેલ ટેક્ષ કમિશનર, વિકાસ કમિશનર, એસ.ટી. નિગમમાં મેનેજીંગ ડીરેકટર, ઉર્જા વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, બંદર-વાહન વ્‍યવહાર વિભાગ તથા પંચાયત વિભાગમાં અગ્રસચિવ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગમાં અધિક મુખ્‍ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૦૭૭૧, મો.૯૯૭૮૪ ૦૬૦૫૨ ગાંધીનગર.

(1:33 pm IST)