Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

બિલ્ડર અગ્રણી- યુવા ભામાશા મયૂરધ્વજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટઃ અગ્રણી બિલ્ડર અને સામાજિક યુથ આઇકોન તેમજ નામાંકિત જે એમ જે ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર મયૂરધ્વજસિંહ એમ જાડેજાનો આજે જન્મદિવસ છે. તા.૨૬-૧૧-૧૯૮૭ના જન્મેલા મયૂરધ્વજસિંહ આજે જીવનના ૩૪ વર્ષ પુરા કરી ૩૫માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે.
પિતા અને પરિવારના સેવાભાવના સંસ્કાર સાથે મયુરધ્વજસિંહે બિલ્ડિગ નિર્માણના વ્યવસાયમાં અગ્રણી બિલ્ડર તરીકે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથોસાથ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં સામાજિક દાતા અને તેમના દ્વારા કેટલાક પ્રેરણાદાયી કાર્યોને લઈને નાની ઉંંમરમાં યુવા ભામાશા તરીકે ખ્યાતી પામ્યા છે. ૮૬ કન્યાઓના સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કરી, સાથે પોતે પણ લગ્નગ્રંથી થી જોડાઇ તેઓ સમૂહલગ્નના પ્રણેતા પણ બન્યા હતા. આ સાથે પોતાની લાડકી પુત્રી વનિશાબાના પ્રથમ જન્મદિવસે થોડા સમય પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લાના કોરોના માં માતાપિતા ગુમાવનાર બાળકો ના અભ્યાસ સહીત સારસંભાળ ના દાતા બની બાળકોને હૂંફ આપી હતી. એજી ચોકમાં આવેલ આસ્થાના કેન્દ્ર સમા શ્રી ચમત્કારિક હનુમાનજી ના મંદિર જીણોધ્ધારમાં તેઓ નિમિત્ત બન્યા છે. જયારે વિશ્વ પ્રસિદ્ઘ સોમનાથ મંદિરના શીખરે સુવર્ણ કળશ દાતા સાથે શુભ સંકલ્પબદ્ઘ થયા છે. મો.૯૫૩૭૯ ૦૦૦૭૭

 

(11:42 am IST)