Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઓશોના સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહૃયા)નો કાલે ૭૭મો જન્મદિવસ

રાજકોટઃ ઓશો સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા)નો જન્મદિવસ ૧ ડિસેમ્બરના રોજ છે. તેઓ ૭૬ વર્ષ પુરા કરી ૭૭માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓને ઓશોએ જ સન્યાસ અને તેમને શકિતપાત પણ આપેલ છે. તેઓ ૫૦ વર્ષથી સન્યાસી છે. સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા) જીલ્લા પંચાયત રાજકોટના નિવૃત કર્મચારી છે. તેઓએ વેલી ઓફ વાઇલ્ડ ફલાવર, હીલ ગાર્ડન પ્રોજેકટ રાજકોટમાં માધાપર ખાતેના ઇશ્વરીયા પાર્કમાં મેનેજર તરીકે પોતાની સેવાઓ ૧૦ વર્ષથી આપી રહયા છે.

તેઓ ઓશોની ધ્યાન સાધના શિબિરોમાં ભાગ લઇ અનેકવાર ઓશો ધ્યાન સાધના શિબિરોનું સફળ સંચાલન કરેલ છે. કાલે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર (૪- વૈદવાડી ખાતે એક દિવસીય ઓશો ધ્યાન શીબીરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મો.૯૪૨૮૨ ૦૨૨૫૫, ફોન નં.૦૨૮૧-૨૫૭૪૮૫૬

(3:36 pm IST)