Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ટંકારાના એડવોકેટ અતુલભાઇ ત્રિવેદીનો જન્‍મદિવસ

(હર્ષદરાય કંસારા)ટંકારા,તા.૧૭ :   મોરબી, રાજકોટ અને જામનગર વિસ્‍તારમા વકિલાત ક્ષેત્રે નિખાલસ સ્‍વભાવથી કામગીરી કરતા બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા ટંકારા અને જામનગર બ્રહ્મસમાજના કર્મઠ મેમ્‍બર એડવોકેટ ર્ંઅતુલભાઈ ત્રિવેર્દીં નો આજે ૧૭ સપ્‍ટેમ્‍બરે જન્‍મદિવસ હોય ધારાશાષાી ત્રિવેદીને જન્‍મદિવસ નિમિત્તે ચોમેરથી અનેકાનેક શુભેચ્‍છા- અભિનંદન નો ધોધ વહી રહ્યો છે.  અતુલભાઈ તેની સાથે જોડાયેલ તમામ પ્રત્‍યે કાયમ કુણી લાગણી ધરાવતો જીવ છે. કામ માટે કાયમ સજાગ રહેવા વાળુ વ્‍યક્‍તિત્‍વ છે.  એડવોકેટ  જીવનયાત્રા ની સફળ સફર ખેડીને ઉન્નતીની સીડી ઉપર ધીમે ડગલે નિખાલસ સ્‍વભાવથી પોતાના કર્તવ્‍ય પથ પર પ્રમાણિક કાર્યશૈલીથી કાયદાકીય ક્ષેત્રે ઓતપ્રોત થઈ તેજસ્‍વી ઓજસ પાથરી રહ્યા છે. સ્‍વભાવે સરળ, સાલસ અને ભોળપણ થી નિખરી ઉઠતુ વ્‍યક્‍તિત્‍વ સદા હસતા-ખિલખિલાટ કરતુ રહે...  તન,મન,ધનથી તંદુરસ્‍ત રહે એવી શુભેચ્‍છાઓ પાઠવવા મોબાઈલ નંબર ૮૭૮૦૪ ૩૨૧૭૩ પર શુભેચ્‍છા પાઠવી શકાય છે.

(1:14 pm IST)