Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પૂ.આપાગીગા ગાદી મંદિરના મહંત જેરામબાપુનો જન્મદિન

બગસરાઃ પૂ. આપાગીગા ગાદી મંદીરના પૂ. મહંતશ્રી જેરામબાપુનો આવતીકાલ બુધવારના રોજ જન્મદિન છે તેઓ ૭૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

સને ૧૯૮૦માં જગ્યાના મહંતશ્રી ગાદીપતિ તરીકે બિરાજમાન થઈ માનવ સેવા એજ પ્રભુ સેવાની જયોત, હરીહર ટુકડો તથા સમાજ સેવાના કાર્યો કરી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં આ જગ્યાને ગૌરવભર્યુ સ્થાન અપાવ્યું છે. આ જગ્યામાં છેલ્લા ૨૫ વર્ષથી આત્મા સો પરમાત્માની ભાવના સાથે બંને ટાઈમ ભૂખ્યા લોકોને ભોજન કરાવીને દીનદુઃખીયાની ભૂખને સુખની અનુભૂતિ કરવવાનું અવિરતપણે શરૂ જ છે. વર્તમાન સમયમાં બંસીપાલ પથ્થર થી મંદિર નો જીર્ણોદ્ઘાર થય રહ્યો છે તેમજ પૂ. બાપુનો સંકલ્પ ઝડપ થી પૂર્ણ થાય ભાવિક ભકતોને આ કાર્ય પૂર્ણ કરવા ધન થી સહયોગ કરે તેમજ બાપુની દિર્ધાયું માટે ઠાકર મહારાજ પૂ.આપાગીગા પાસે પ્રાર્થના કરીએ. વર્તમાન પરસ્થિતિમાં સેવક પરિવારનુ આયુષ્ય તંદુરસ્ત રહે તેવા આશીર્વાદ સાથે કોઠારી બાપુ ની યાદી મા જણાવાયું છે.

(11:41 am IST)