Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વાંકાનેર લોહાણા મહાજનના ઉ.પ્રમુખ રમેશચંદ્રભાઇ ઠક્કરનો જન્‍મદિવસ

વાંકાનેર,તા. ૨૦ : વાંકાનેર લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઉપરાંત શહેરની વિવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા તેમજ વાંકાનેરમાં છેલ્લા ઘણા સમયથી શ્રી જલારામ ડેરી ફાર્મના મોભી રમેશચંદ્ર અમૃતલાલ ઠક્કર તા. ૨૦/૯/૧૯૫૮માં જન્‍મેલ અને તેમના જીવનમાં ચડતી પડતીના અનેક સંઘર્ષો કર્યા છે.

ત્‍યારે આજે તેમના ૬૪માં જન્‍મદિવસની સેવાકીય પ્રવૃતિ થકી ઉજવાશે જ્‍યારે તેમના જન્‍મદિવસની જ્ઞાતિજનો ઉપરાંત સગાસંબંધિ, મિત્ર વર્તુળ તથા હિતેન્‍છુ દ્વારા તેમના મોબાઇલ ૯૪૨૯૦ ૯૫૬૨૧ તથા ૮૪૦૧૧ ૭૯૧૭૭ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. ઉપરાંત વાંકાનેર પાસે નિર્માણધીન ‘રામધામ'ના કાર્યમાં પણ તેઓ સેવા આપે છે.

(11:48 am IST)