Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નિવૃત અધિક રજીસ્‍ટ્રાર એ.એસ.ખંધારનો કાલે જન્‍મદિવસ

૪૩ વર્ષથી સહકારી જગત સાથે સંકળાયેલા રહ્યા છે

રાજકોટઃ રાજ્‍ય સરકારના સહકારી વિભાગમાં વિવિધ પદો ઉપર નોંધપાત્ર કામગીરી બજાવ્‍યા બાદ નિવૃત થયેલા એ.એસ.અંધારનો કાલે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હાલ તેઓ મલ્‍ટી સ્‍ટેટ કો.ઓ. બેંકમાં આર્બીટ્રેટર તરીકે કામગીરી કરી રહ્યા છે. નિષ્‍ઠા-પ્રમાણિકતા-ન્‍યાયી અભિગમ કરી છૂટવાની ભાવના સાથે ૪૩ વર્ષ સહકારી પ્રવૃતિ સાથે જોડાયેલા રહેલા અશોકભાઇ ખંધારનું નામ આજે પણ માન-સન્‍માન સાથે સહકારી જગતમાં લેવાય છે.

જીવનસંધ્‍યાએ તેમનો સંદેશ છે કે પીડા વગર કોઇ કાર્યનું પરિણામ લાંબો સમય ટકતુ નથી જેથી આપણે ગોલ્‍ડમેન, આયર્નમેન, વુડનમેન, ગ્રાસમેન, પેટ્રોલમેન શું બનવું છે તે નક્કી કરી આગળ વધવાનું છે.વ્‍યકિતએ પોતાના ભાગે આવેલ કાર્ય ઉત્‍કૃષ્‍ટ રીતે સ્‍વયંશિસ્‍તથી બજાવી મજબૂત રાષ્‍ટ્ર માટે રાષ્‍ટ્રધર્મ બજાવવાનો છે. તેમનો મો. નંબર છે. ૯૪૨૮૨ ૧૦૦૦૦

(3:18 pm IST)