Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જૂનાગઢના ઋષિકેશ બોરીસાગર જીપીએસસીની પરીક્ષામાં ઉર્તિણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯ : રાજગોર સમાજના યુવાન ઋષિકેશ જગજીવનભાઇ બોરીસાગરે જીપીએસસીની પરિક્ષા પાસ કરી સમાજનું ગૌરવ વધારેલ છે.

જૂનાગઢ જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ઋષિકેશભાઇએ તાજેતરમાં લેવાયેલ જીપીએસસીની ડેપ્યુટી સેકશન ઓફિસર (ડે.એસ.ઓ)ની સરકારી નોકરીમાં ઉર્તિણ થતા તેમને બોરીસાગર પરિવાર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ આગેવાનો તથા શુભેચ્છકો મો. નં. ૮૨૬૪૩ ૧૪૦૮૭ ઉપર અભિનંદન આપી રહ્યા છે.

(1:01 pm IST)