Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સદર ઉપાશ્રયનાં ટ્રસ્ટી મધુકાંતભાઇ શાહનો કાલે જન્મદિવસ

રાજકોટઃ આવતીકાલે તા.૫ને શનિવારે સદર ઉપાશ્રયના ટ્રસ્ટીશ્રી મધુકાંતભાઇ શાહનો જન્મદિવસ છે. તેઓ ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં પ્રવેશ કરશે. તેઓએ ૩૫ વર્ષ બેંક ઓફ બરોડામાં કામ કરેલ છે અને ચીફ મેનેજર તરીકે રીયાયર્ર્ડ થયેલા છે. રાજકોટ સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ વાત્સલય જ્ઞાન વર્ધક સંઘ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન, બહેરા મુંગા શાળા, મધર ટેરેસા આશ્રમ, જીવદયા ગ્રુપ રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ સાયલા પાંજરાપોળમાં સેવાઓ આપી રહયા છે. મધુકાંતભાઇ તથા તેમના પત્નિ નિત્ય સામાયીક કરે છે. સાધુ સાધ્વીજીઓની વૈયાવચ્ચમાં પણ અગ્રેસર રહે છે. તેમના મોટા પુત્ર સમ્યગ લંડનમાં એકાઉન્ટ છે અને તથા નાના પુત્ર ધર્માગભાઇ રાજકોટમાં એલ.આઇ.સી એજન્ટ છે.  (મો.૯૮૭૯૯ ૭૨૮૯૩)

(12:53 pm IST)