Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ

અશોકભાઈ કુંડલીયાનો કાલે જન્મદિનઃ ૬૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ ખાતે વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ તથા સામાજીક-સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં સદાય તત્પર રહેતા અશોકભાઈ હીરાભાઈ કુંડલીયાનો આવતીકાલે જન્મ દિવસ છે. તેઓ પોતાની યશસ્વી જીંદગીના ૬૩ વર્ષ પુરા કરીને ૬૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

રઘુકુળ મેરેજ બ્યુરો રાજકોટના ચેરમેન તથા રઘુવંશી રોયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ તરીકે કાર્યરત અશોકભાઈ કુંડલીયા જીવન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લી. રાજકોટના પૂર્વ બ્રાન્ચ મેનેજર પણ રહી ચૂકયા છે. ઉપરાંત રાજકોટ લોહાણા મહાજનના ખજાનચી તથા કારોબારી ઉપપ્રમુખ તરીકે પણ ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકયા છે. બેન્કમાંથી નિવૃત થઈને પણ સતત કાર્યરત રહેનાર અશોકભાઈ કુંડલીયા મો. ૯૮૨૪૨ ૧૧૧૫૨ ઉપર જન્મદિન નિમિતે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(2:48 pm IST)