Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સાબરકાંઠાના અધિક કલેકટર એચ. આર. મોદીનો જન્‍મદિન

રાજકોટ : સાબરકાંઠા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી એચ. આર. મોદીનો જન્‍મ તા. ૧૪ જુન ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના વતની અને વિજ્ઞાન  ક્ષેત્રના અનુસ્‍નાતક છે. અગાઉ પાટણના સિધ્‍ધપુર અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પ્રાંત અધિકારી, ગિર સોમનાથમાં નિવાસી અધિક કલેકટર ગૌણ સેવા પસંદગી મંડળમાં સચિવ વગેરે પદે પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૭ર ર૪૬૦૧ર,

મો. ૯૦૯૯૦ ૬૪૮૬૮ હિમતનગર

(10:23 am IST)