Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

બ્રહ્મ ખીચડીના પ્રણેતા પ્રજાપતિ જગદીશભાઈ જેઠવાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટઃ મુળ પાટણવાવ અને હાલ વડોદરા ખાતે રહેતા પ્રજાપતિ જગદીશભાઈ જેઠવાનો આવતીકાલ તા.૧૫ જુનના જન્‍મદિવસ છે. કોર્પોરેટ કંપનીની જોબ છોડી પોતાનું ફુડ સ્‍ટાર્ટઅપ શરૂ કર્યુ છે. પ્રાચીન ભારતની ફુડશૈલી પર શોધ સંશોધન કરવુ તે તેનો શોખનો વિષય છે. એમ.એસ. યુનિવર્સીટી- વડોદરા ખાતે ખીચડી પર એનાલીસીસ કર્યુ અને નામ આપ્‍યુ બ્રહ્મ ખીચડી. જાન્‍યુઆરી- ૨૦૨૧ ભારતમાં પહેલી વખત દેશના દરેક ખુણામાં ખવાતી ખીચડીનો સ્‍વાદ વડોદરામાં તેઓએ આપ્‍યો હતો. જગદીશભાઈને જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએ જ તેઓને મો.૯૦૯૯૯ ૧૮૨૭૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(10:54 am IST)