Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાતા ઉદિત અગ્રવાલ

રાજકોટના કમિશનર તરીકેની કામગીરી યાદગાર બની રહી

રાજકોટ : મહેસાણાના જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી ઉદિત અગ્રવાલનો જન્‍મ તા. ર૩ મે ૧૯૮ર ના દિવસે થયેલ ગઇકાલે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગઇકાલથી શરૂ થયેલ જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા આજે પણ ચાલુ છે. રાજકોટના મ્‍યુનિસીપલ કમિશનર તરીકે તેમણે કરેલી કામગીરીને લોકો આજેય યાદ કરી રહ્યા છે. કોરોના સામે અડીખમ યોધ્‍ધા સાબિત થયા હતાં.
શ્રી ઉદિત અગ્રવાલ મુળ દિલ્‍હીના વતની અને ર૦૦૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચમાં સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર, પાલીતાણામાં મદદનીશ કલેકટર, અમદાવાદ અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકરી, સુરેન્‍દ્રનગર અને પંચમહાલમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.  ફોન નં. ૦ર૭૬ર રરરર૦૦, મો. ૯૯૭૮૪ ૦૬ર૧૪ મહેસાણા

 

(11:39 am IST)