Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વોર્ડનં.૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટ :  વોર્ડ નંબર ૩ ના ભાજપના સક્રિય અને સેવાભાવી યુવા કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ પળથ્‍વીસિંહ જાડેજા નો આજે તા.૨૪  જન્‍મદિવસ છે.
 તેઓ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાઈ એકાત્‍મ માનવવાદ એટલે કે છેવાડાના માનવી સુધી નો વિકાસ થાય તેવા આશયથી જાહેર જીવન ક્ષેત્રે સતત કાર્યરત  છે. તેઓ સતત લોકોના પ્રશ્‍નો માટે લડત આપતા રહયા છે અને લોક પ્રશ્‍નોને સતત વાચા આપી રહયા છે. વોર્ડ ૩માં રહી સતત લોકો સાથે, સમાજ સાથે જોડાયેલા રહે છે તેમજ લોકોને પાયાની પ્રાથમિક સુવિધાથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ મળે તે માટે સતત પ્રયત્‍નશીલ રહયા છે.
 પિતા પળથ્‍વી સિંહ જાડેજાના પગલે અનેક સેવાકીય પ્રવળત્તિ સાથે જોડાયેલા છે.   નરેન્‍દ્રસિંહ જાડેજાએ સંગઠન અને સતાને એક સેવાનું માધ્‍યમ ગણી સાથોસાથ વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાઈ સેવાકીય, કાર્યોમાં ઘણા વર્ષોથી સતત અગ્રેસર રહયા છે. આજે તેમના જન્‍મદિવસે તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ, રાજકીય આગેવાનો, શુભેચ્‍છકો દ્વારા તેમને  (૯૮૨૫૨૧૦૪૭૬) ઉપર  શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

 

(3:20 pm IST)