Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો જન્મ દિવસ

રાજકોજ્ઞટ તા. ૧૦ : આકાશવાણીના નિવૃત્ત આસીસ્ટન્ટ એન્જીનીયર અને જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશી રહેલ ઉમેશભાઇ ૧૯૭૮ થી સામજીક પ્રવૃત્તિઓના રંગે રંગાયેલા છે. આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન, પદયાત્રીઓ માટે સેવા કેમ્પ, રકતદાન કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પોતે ૩૦ વખત રકતદાન કરી ચુકયા છે. નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટમાં ૧૮ વર્ષથી મંત્રી તરીકે સેવા આપે છે. આજે જન્મ દિવસે ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. તેમના મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ છે.

(11:44 am IST)