Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ સંઘવીનો આજે જન્મદિવસ

રાજકોટઃ રેષકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્ટી તથા જીવદયા કાર્યકર વિરેન્દ્રભાઈ સંઘવીનો આજે જન્મદિવસ છે. તેઓ આરૂણી હોસ્પિટલમાં રેડીયો થેરાપીસ્ટ તરીકે ફરજ બજાવે છે. અગાઉ અલગ- અલગ કેન્સર હોસ્પિટલમાં રેડિયેશન ટ્રીટમેન્ટનો ૨૫ વર્ષનો અનુભવ ધરાવે છે. જૈન એલર્ટ ગ્રુપ ઈન્ડિયા ભારતભરમાં સ્થાપક સભ્ય છે. જેમાં ૨૫૦થી વધુ શાખાઓ કાર્યરત છે. પ્રકૃતિપ્રેમી હોઈ નેચર કલબ તથા ટ્રેકીંગ કેમ્પના આયોજનો કરતા રહે છે અને અન્યોને જોડતા રહે છે. બાલ્યકાળથી સ્વયંસેવક તથા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રાંત કારોબારી સભ્ય સુધીની જવાબદારી પણ નિભાવેલ છે. તેઓ જીવદયાગ્રુપ રાજકોટ, જન સેવા ટ્રસ્ટ, જીવોને બચાવવાની કામગીરી, જીવ છોડાવવાની કામગીરી તથા વૃધ્ધાશ્રમ, પાંજરાપોળ, રામધણ બાપુના આશ્રમ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ૨૨ વ્હાલુડીનાં વિવાહમાં સેવા પણ આપેલ છે. મો.૯૪૦૯૦ ૧૮૫૭૦ (

(3:09 pm IST)