Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ખંભાળીયાઃ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ બ્રહ્મ સમાજ અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યનો જન્મદિન

ખંભાળીયા : સીનીયર પત્રકાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઇ આચાર્યનો ૧૬-પ-ર૧ ના રોજ જન્મ દિવસ છે.

તેઓનો ૧૬-પ-૬૪ ના રોજ જન્મ થયેલ છે. હિતેન્દ્રભાઇએ પાંચ-પાંચ ટર્મ સુધી જાનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તરીકે, હાલ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે તથા અગાઉ જિલ્લા અધ્યક્ષ, મહામંત્રી તરીકે કામગીરી બજાવી હતી તથા શિક્ષણ ક્ષેત્રે અનેક તાલીમો કાર્યક્રમો, પ્રયોગો કર્યા છે. તથા પત્રકાર તરીકે હાલ દેવભૂમિ જિલ્લા પી. ટી. આઇ. સંવાદદાતા તથા નોબત દૈનિકના પ્રતિનિધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ કામગીરી કરી હતી તથા પત્રકાર મંડળના ઉપપ્રમુખ, ખંભાળીયા, તાલુકા સંકુલ સંયોજક, અનેક સંસ્થાઓના ટ્રસ્ટી, પર્યાવરણ ક્ષેત્રે અનેક વખત એવોર્ડ વૃક્ષારોપણના મળેલા હિતેન્દ્રભાઇ ખંભાળીયાના તથા જિલ્લાના પ્રશ્નો અંગે હંમેશા તત્પર રહે છે તથા હાલ ૩પ વર્ષથી ખંભાળીયાની વિજય ચેરી. હાઇસ્કુલના આચાર્ય તરીકે તથા રામનાથ  ગૌ સેવા સંસ્થામાં કામ કરી રહ્યા છે. તેમનો મો. નં. ૯૮ર૪ર ૩પ૮પ૯ છે.

(12:52 pm IST)