Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસઃ શુભેચ્છાની વર્ષા

રાજકોટ : રાજકોટમાં પ્રેકટીશ કરતાં યુવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. મુળ ચાંદલીના વતની એવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજા છેલ્લા પંદરેક વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયા છે. અને વકીલાત ક્ષેત્રે પોતાની સફળ કારકીર્દી ઉભી કરી છે.

પોતાના મિલનસાર, હસમુખા સ્વભાવના કારણે વકીલોમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે સગા-સ્નેહીઓ, મિત્રો, સ્નેહીજનો અને વકીલ વર્તુળો દ્વારા તેઓને મો. ૯પ૧૦પ ૯૦૯૯૦ ઉપર જન્મ દિવસની શુભ કામના પાઠવી રહ્યા છે.

(3:16 pm IST)