Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જુનાગઢના સેવાભાવી સુભાષભાઇ પાણીપુરીવાળાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૫: જુનાગઢ અને આસપાસના વિસ્તારમા઼ લોકોમાં સ્વાદના શોખીનોમાં મહત્વનું સ્થાન ધરાવતા સુભાષભાઇ પાણીપુરીવાળાનો આજે ૬૯મો જન્મદિવસ છે.

જુનાગઢ ખાતે ૧૫-૬-૧૯૫૩ના રોજ જન્મેલા સુભાષભાઇ બીકોમ એલએલબી ડબલ ગ્રેજયુએટ છે. તેમણે તેમની કારકીર્દી સુતરફેણી વેચી અને કર્યો હતો અને સંઘર્ષ કરી સ્વબળે આગળ આવી સુભાષ પાણીપુરી નામે વ્યાપારી સંકુલની સ્થાપના કરી શહેરમાં જાહેર જીવનમાં અને સમાજ સેવાના કામોમાં સતત યોગદાન આપતા રહયા છે. કારગીલની લડાઇ હોય ધરતીકંપ કે અતિવૃષ્ટિ તેમજ કોરોના મહામારી જેવી આપતિના સમયમાં સહાયતા કરતા રહયા છે તેમની આ સેવાઓ બદલ જે તે સમયના કલેકટરો પ્રમુખ સ્વામી મહારાજ સતાધારના પુ.જીવરાજબાપુ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. સુભાષભાઇની સામાજીક સેવાઓ બદલ કેન્દ્ર સરકારના માનવ સંશોધન વિકાસ મંત્રાલય દ્વારા નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા બેસ્ટ યુથ એવોર્ડ આપવામાં આવેલ આજે તેમના જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો.નં.૯૮૭૯૩ ૬૨૯૧૮ ઉપર શુભેચ્છા આપી રહયા છે.

(11:45 am IST)