Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સિધ્ધાર્થ તુરખીયાના જન્મ દિવસ નિમિતે કાલે રામકૃષ્ણનગરમાં રકતદાન કેમ્પ

રાજકોટ તા. ૧૬ : થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કીડની તથા અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા આશયથી સિધ્ધાર્થ કે. તુરખીયાના જન્મ દિવસ નિમિતે શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપ અને બોલબાલા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કાલે તા. ૧૭ ના ગુરૂવારે સવારે ૯ થી ૧.૩૦ સુધી કુશમ કળશ, રામકૃષ્ણનગર શેરી નં. ૧ ડો. ગદ્રેની બાજુમાં, વિદ્યાનગર મેઇન રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે. આ કેમ્પમાં શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઇ જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦), સીવીલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે. રકતદાતાઓએ વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા અનુરોધ કરાયો છે.

(3:14 pm IST)