Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રવિવારે ગોવિંદભાઇ પટેલનો જન્‍મ દિવસ : સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનામાં ખાતા ખોલીને ઉજવણી કરાશે

રાજકોટ તા. ૪ : આગામી તા. ૭ ના રવિવારે ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલનો જન્‍મ દિવસ છે. આંગણવાડીના ૨૫ કુપોષિત બાળકોને સુપોષિત કરવાના ધ્‍યેય સાથે બાળકોને દત્તક લઇને તેમજ ૧૨૦૦ જેટલી આંગણવાડીની બાળાઓના પ્રધાનમંત્રી સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનામાં ખાતા ખોલીને ઉજવણી કરવા તેઓએ નિરધાર કર્યો છે.

પૂર્વ દિવસે તા. ૬ ના શનિવારે  સવારે ૧૦.૩૦ વાગ્‍યે આંગણવાડીની બાળાઓને પાસબુક વિતરણનો કાર્યક્રમ મેયર ડો. પ્રદીપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને હેમુગઢવી હોલ ખાતે તેમજ રણછોડદાસજી બાપુ કોમ્‍યુ. હોલ ખાતે વાલી સંમેલન સાથે યોજવામાં આવેલ છે. જેમાં પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ સાગઠીયા, કમલેશભાઇ મીરાણી સહીતના મહાનુભાવો મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.

(4:23 pm IST)