Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગુજરાત બાર.કાઉ.ના કો–ઓ,પ્ટ મેમ્બર અને બાર.એસોના પૂર્વપ્રમુખ સંજય વ્યાસનો જન્મદિવસ

રાજકોટના તા.૯ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કો–ઓપ્ટ. મેમ્બર અને ડિસીપ્લીનરી કમીટીના ચેરમેન રાજકોટ બાર એશોસીએશનના પુર્વ પ્રમુખ એડવોકેટ–નોટરી સંજયભાઇ વ્યાસનો આજે ૬૩મો જન્મદિન આજે જીવનના ૬૨ વર્ષની મંજીલ કાપી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સંજયભાઇ વ્યાસનો જન્મ તા.૯ં/૦૮/૧૯૬૦ના રોજ જામનગર મુકામે થયેલ તેઓના દાદા સ્વ.મુળશંકર જાદવજી વ્યાસ હાલ પાકિસ્તાનના કરાચી મુકામે હીન્દ કેસરી નામનું પેપર બહાર પાડતા અને તેઓ હીન્દુ મહાસભાના કરાચી ખાતે અગ્રણી હતા. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ રાજકોટ મુકામે સ્થાયી થયેલ. સંજયભાઇ વ્યાસના પિતા સ્વ. જીતેન્દ્રભાઇ મુળશંકરભાઇ વ્યાસ રેલ્વેમા ફરજ બજાવતા હતા અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનીયનના ડીવીઝનલ સેક્રેટરી તરીકે વર્ષો સુેધી કર્મચારીઓની સેવા કરેલ.

સંજયભાઇ વ્યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમિક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ થયા બાદ ૧૯૮૫થી રાજકોટ બાર એસોસીએશનના સભ્ય તરીકે વકીલાતના કારર્કિદીની શરૃ કરેલ અને રાજકોટ બારમાં ૨૦૧૬ સુધીમાં ૧૭ વખત ચુટાઇ આવીને કારોબારી સભ્ય, ખજાનચી, જો.સેક્રેટરી, ઉપપ્રમુખ, સેક્રેટરી તથા ૨૦૧૦માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ, વકીલોના ચાલતા રાજકોટ બાર એશો.એડવોકેેટ વેલફેર ફંડની ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

રાજકોટ બારમાં દર વર્ષે ચુટણી થતી હોય છે પ્રથમ વખત બારના ઇતિહાસમાં સને–૨૦૧૬ની સાલમાં પ્રમુખ તરીકે ચુટાઇને તેઓ તથા આખી કારોબારી કમીટી ૨૬/૨/૨૦૧૮ સતત સવા બે વર્ષ કાર્યરત હોય તેવું પ્રથમ વખત બનેલ અને સમગ્ર કારોબારી કમીટીએ સમગ્ર ટર્મ દરમ્યાન રાજકોટના તથા અન્ય બાર એસોસીએશનના વકીલોના પ્રશ્ને અગ્રેસર રહીને ખૂબજ સુંદર કામગીરી બજાવેલ હાલ તેઓ રાજકોટ બાર એસોસીએશનના કારોબારી કમીટીમાં પોસ્ટ પ્રસીડેન્ટ તરીકે કાર્યરત છે.

 સંજયભાઇ વ્યાસ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે હાલના વોર્ડ નં.૩ જુના વોર્ડ નં. ૧૮ તથા ૧૩માં કોપોરેશન, ધારાસભા, લોકસભા વિગેરેની ચુટણીમાં ઇન્ચાર્જ તરીકે તથા વોર્ડમાં વોર્ડ ઇન્ચાર્જ તરીકે તથા યુવા મોરચામાં ઉતરઝોન ઇન્ચાર્જ તરીકે સફળતા પૂર્વક ફરજ બજાવી ચૂકેલ છે. રાજકોટ શહેર ભાજપમાં ઇલેકશન લીગલ શેલમાં સહકન્વીનર તથા સોશીયલ મીડીયા ઇન્ચાર્જ તરીકેની પણ ફરજ બજાવેલ.

સંજયભાઇ વ્યાસ ઔદિચ્ય બ્રાહમણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટમાં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. સંજયભાઇ વ્યાસે એ–નેગટીવ બ્લડ કે જે જુજ વ્યકિતઓને હોય છે તે બ્લડ ધરાવતા હોય અત્યાર સુધીમાં ૬૦ વાર બ્લડ ડોનેટ કરી જરૃરીયાત મંદ લોકોને તથા બ્લડ બેન્કોમાં બ્લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઇ વ્યાસ તેઓના મીલનસાર સ્વભાવથી  વકીલોમાં તથા મિત્ર વર્તુળમાં ચાકુ ના હુલામણા નામે પ્રસિદ્ધ છે આજરોજ હાર્દિક શુભકામનાઓ તેમના મો નં. ૯૪૨૭૨ ૨૧૯૯૭

(12:17 pm IST)