Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજયકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલનો જન્‍મદિન

રાજકોટઃ અમદાવાદના નિકોલ વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય અને રાજ્‍યના મંત્રી શ્રી જગદીશ ઇશ્વરભાઇ પંચાલનો જન્‍મ ૧૯૭૩ના વર્ષની ૧૨ ઓગષ્‍ટે થયેલ. આજે ૫૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ કાપડની મશીનરીના ઉત્‍પાદન વ્‍યવસાય સાથે સંકળાયેલ છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમનું મહત્‍વનું યોગદાન રહ્યુ છે. શ્રી ધાન્‍ધાર પંચાલ સેવા સમાજ, વિશ્વકર્મા પંચાલ લુહાર સુથાર મહામંડળ વગેરેમાં પણ તેમનું કામ બોલે છે. વાંચન, તરણ, બેડમીન્‍ટન વગેરે તેમના શોખના વિષયો છે. તેઓ હાલ રાજ્‍યના રાજ્‍યકક્ષાના મંત્રી તરીકે સહકાર, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, છાપકામ અને સ્‍ટેશનરી વગેરે વિભાગો સંભાળી રહ્યા છે.

મો. ૯૯૦૯૯૮૧૩૫૬ ગાંધીનગર

(11:14 am IST)