Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાષ્‍ટ્રપતિ એવોર્ડથી સન્‍માનીત નિવૃત્ત અધિકારી રામપ્રસાદ પંડયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૨ : જુનીયર કલાર્કની નોકરીથી કારકીર્દીની શરૂઆત કરી જીએએસ વર્ગ-૧ સુધીનું પદ હાંસલ કરી નિવૃત્ત થયેલા શ્રીરામપ્રસાદ પંડયાનો આજે જન્‍મ દિવસ છે. મુળ અમરેલીના તરવડા ગામના શિક્ષક પરિવારમાંથી આવતા રામપ્રસાદજીએ અમરેલીમાં કલાર્ક તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી. ખંત, પરિશ્રમ અને પ્રમાણિકતા જેવા ગુણોના કારણે ૭-૭ બઢતી મેળવી છેલ્લે જીએએસ કેડરમાં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી નિવૃત થયા. રાષ્‍ટ્રપતિ એવોર્ડથી સન્‍માનીત થઇ ચુકયા છે. લેખક તરીકે બે બે પુસ્‍તકોની સમાજને ભેટ ધરી છે. યશસ્‍વી જીવનના ૮૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ રામપ્રસાદ પંડયાને મો.૯૪૨૮૨ ૫૭૭૫૦ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:50 pm IST)