Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટ અને ગાંધીનગરના પૂર્વ કલેકટર

જાપાનમાં ફરજ બજાવતા અગ્રસચિવ મોના ખંધારનો સોમવારે જન્‍મદિન

રાજકોટ : જાપાનના પાટનગર ટોકયો ખાતે ભારતીય એલચી કચેરીમાં વાણિજય અને આર્થિક બાબતોના મીનીસ્‍ટર તરીકે ફરજ બજાવતા ગુજરાતના અગ્રસચિવ કેડરના અધિકારી શ્રીમતી મોનાબેન ખંધારનો જન્‍મ તા.૧પ ઓગષ્‍ટ ૧૯૬૯ના દિવસે થયેલ. સોમવારે પ૪માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ મુંબઇના વતની અને ૧૯૯૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રીમતી મોના ખંધાર, ભુતકાળમાં ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર અને રાજકોટમાં જિલ્લા કલેકટર, આરોગ્‍ય વિભાગ અને નાણા વિભાગમાં અધિક સચિવ, હાઉસીંગ કમિશ્નર, ગ્રામ વિકાસ કમિશ્નર વગેરે પદ પર રહી ચુકયા છે. (મો.૯૯૭૮૪ ૦૧૩૮૮) ટોકયો

 

(1:32 pm IST)