Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જુનાગઢના યુવા પત્રકાર ચિરાગ બોરીસાગરનો જન્મ દિવસ ઉજવાયો

જુનાગઢ તા. ૧પ :.. જુનાગઢના ન્યુઝ ચેનલના રીપોર્ટર ચિરાગભાઇ બોરીસાગરનો ગઇકાલેે ૩૦મો જન્મ દિવસ ઉજવાયો.

સમાચારોની દુનિયામાં અગ્રેસર રહેતા ચિરાગભાઇ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ સમાજની ખુબ સારી સેવા આપી રહ્યા છે અને આજથી પાંચેક વર્ષ અગાઉ રાજગોર સમાજને ખુબ ઉપયોગી એવુ રાજગોર રાજ ફાઇવ ગ્રુપ શરૂ કરી અનેક સમાજ શ્રેષ્ઠીઓને એડકરી સમાજ સેવામાં સારા - નરસા પ્રસંગે એકત્રીત થઇ સૌને મદદરૂપ બની રહ્યુ છે. અને તેજસ્વી છાત્રો જ્ઞાતિરત્નોને પણ આ ગ્રુપ દ્વારા બિરદાવવામાં આવે છે અને તેમની વિશિષ્ટ સિધ્ધીઓ ઉજાગર કરવામાં આવે છે. આજે ચિરાગભાઇ ર૯ વર્ષ પુરા કરી ૩૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. ૯૬૮૭૮ ૪૪૪૯૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:48 am IST)