Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કેન્દ્રીય પ્રધાનના અંગત સચિવ અમૃતેશ ઔરંગાબાડકરનો જન્મદિન

સુરેન્દ્રનગરના કલેકટર તરીકે યાદગાર કામગીરી

રાજકોટ : સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ કાલીદાસ ઔરંગાબાડકરનો જન્મ તા.ર૯ જુન ૧૯૮૯ ના દિવસે થયેલ આજે ૩૪માં વર્ષના દ્વારે પહોંચ્યા છે તેઓ મળુ મહારાષ્ટ્રના પુણેના વતની અને ર૦૧ર ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છ.ે અગાઉ મહુવા (ભાવનગર) માં મદદનીશ કલેકટર, છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, અરવલ્લીમાં જિલ્લા કલેકટર તરીકે રહી ચુકયા છે.

હાલ ભારત સરકારના રાજય કક્ષાના મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અંગત સચિવ તરીકે દેશની રાજધાનીમાં ફરજ બજાવી રહ્યા છે. ફોન નં.૦૧૧-ર૩૩૮ર૩૬૧ મો.૯૯૭૮૪ ૦૧૮૬ર નવીદિલ્હી

(1:40 pm IST)