Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

નાણા વિભાગના અગ્રસચિવ જે.પી.ગુપ્‍તાનો જન્‍મદિવસ

રાજકોટના એક સમયના મ્‍યુ.કમિશ્‍નર

રાજકોટ : રાજ્‍યના નાણા વિભાગના અગ્રસચિવશ્રી જે.પી. ગુપ્‍તાનો જન્‍મ તા. ૧ જુલાઇ ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૧૯૯૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ તેઓ જી.એસ.ટી.ના મુખ્‍ય કમિશ્‍નર હતા.
શ્રી જે.પી. ગુપ્‍તા અગાઉ રાજકોટના મ્‍યુનિસિપલ કમિશનર, રાજ્‍યમાં સ્‍પેશ્‍યલ સેલટેક્ષ કમિશ્‍નર, વાહન વ્‍યવહાર કમિશનર, મનોરંજન કર કમિશનર, સહકારી મંડળીઓના રજીસ્‍ટ્રાર આરોગ્‍ય કમિશનર, નર્મદા જળસંપતિ વિભાગના અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.
મો. ૯૯૭૮૪ ૦૬૦૬૪ ગાંધીનગર

 

(11:59 am IST)