Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમરેલી જીલ્લા ભાજપ ના ઉપાધ્‍યક્ષ સુરેશભાઈ પાનસૂરિયાનો જન્‍મદિવસ

સાવરકુંડલા, તા.૧: અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ અને લોકસેવાના પ્રહરી સુરેશભાઈ પાનસૂરિયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ  ૪૯માં વર્ષમાં પ્રવેશ  કર્યો છે.

   સાવરકુંડલા ખેડૂત ભાદાભાઈ પાનસૂરિયા ને ત્‍યાં ગત તારીખ ૧/ ૭/૧૯૭૪ના રોજ જન્‍મ લેનાર સુરેશભાઈ પાનસૂરિયા સામાજિક રાજકીય અને સેવાકીય પ્રવળત્તિ સાથે જોડાઈને લોકોની સેવા કરવામાં અમરેલી જિલ્લામાં અવ્‍વલ નંબરે અગ્રેસર રહ્યા છે.

સુરેશભાઈ પાનસૂરિયાએ કોરોનાની ભયંકર સ્‍થિતિમાં કોરોનાગ્રસ્‍ત દર્દીઓની સેવા માટે તન-મન અને ધનરૂપી ખંત ખુમારી અને ખેલદિલીપૂર્વક કોઇ પણ જાતના સ્‍વાર્થ વિના ખૂબ જ જબરી સેવા ઓ કરી હતી તેમજ તોકતે વાવાજોડામાં પણ શહેરના ગરીબો અને ગરીબ વિસ્‍તારમાં કોઇ પણ જાતનો ભેદભાવ રાખ્‍યા વિના ખાણી પીણી ની ચીજ વસ્‍તુ ઓ હેન્‍ડ તું હેન્‍ડ પુરી પડેલ હતી

 આ ઉપરાંત સાવરકુંડલા શહેર ની ગરીબ માધ્‍યમ અને અમીર લોકોને બ્‍લડ માટે હેરાન પરેશાન ન થવું પડે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની ખાસ ઉપસ્‍થિતિ માં સાવરકુંડલા ખાતે એક મેગા બ્‍લડ કેમ્‍પનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧૪૧૪ બોટલ બ્‍લડ એકઠું કરવામાં આવેલ જે કેંમ્‍પ અમરેલી જિલ્લામાં વલ્‍ડ રેકોડ ગણાય તેમજ આરોગ્‍ય કેમ્‍પો તેમજ સેવાકીય કેમ્‍પો અને સેવાકીય કાર્યો તેમજ ગરીબોને તહેવારમાં પણ બંધ મુઠી એ દાન સહાય કરી લોકોના દુઃખ માં દુઃખી મદદ રૂપ બન્‍યા દાખલ આપી એ એટલા દાખલા ઓ ઓછા પડે તેમ છે.

સુરેશભાઈ પાનસૂરિયા સમજુબા જેમ્‍સ ગ્રૂપ દ્વારા પણ લોકોની સેવા માં અડધી રાત નો હોંકારો છે અમરેલી જિલ્લા  ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્‍યક્ષ અને સાવરકુંડલા અને વડોદરા માં બિલ્‍ડર તરીકે ખૂબ ચાહના મેળવી છે  રાજકારણમાં નાની ઉંમરે સારા અને મોટા સંબંધો વિકસાવીયાં છે સાવરકુંડલા શહેરમાં સેવાભાવી પ્રતિષ્ઠિત આગેવાન તરીકે ઓળખ ઉભી કરી છે સામાજિક રાજકીય અને સેવાકીય ક્ષેત્રે સંકળાયેલા સુરેશભાઈ પાનસૂરિયા ના જન્‍મ દિવસ નિમિત્તે  મો. નં. ૯૪૨૯૦૭૫૦૫૫ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:06 pm IST)