Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

લોહાણા મહાજનના માનદ મંત્રી અને

કાન- નાક- ગળાના સર્જન ડો.હિમાંશુ ઠકકરનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ રાજકોટ ખાતે ઇ.એન.ટી. સર્જન તરીકે છેલ્લા ૨૦  વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્‍ટિસ કરે છે. મૂળ જૂનાગઢનાં વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર આ યુવા તબીબ કે જેમને નાની ઉમરમાં અનેક જટિલ ઓપરેશનો પાર પાડી તબીબી ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી છે.તેમનો આજે જન્‍મ દિવસ છે તે સાથે આજે ૧ જુલાઈ નેશનલ ડોક્‍ટર્સ ડે તરીકે પણ ઉજવાય છે.   ડો. ઠકકરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જનરલોમાં પ્રસિદ્ધ થયેલ છે.  આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ એવોર્ડ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રેષ્‍ઠ રઘુવંશી આંતરરાષ્ટ્રીય વ્‍યવસાયિક પ્રતિભા એવોર્ડ પણ મળેલ છે અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે. ડો. હિમાંશુ ઠકકર ઇંડિયન મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. ઇએનટી સોસાયટી ઓફ રાજકોટ ના તેઓ ભુતપૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્‍યા છે. તેઓ રઘુવંશી ડોક્‍ટર અસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુકેલા છે. હાલમાં તેઓ રાજકોટ લોહાણા મહાજન ના મંત્રી છે. આજે ૧ જુલાઈ કે જે ડોક્‍ટર્સ ડે તરીકે ઉજવાઇ છે સાથે સાથે તેમની ડો. ઠક્કર ઇ.એન.ટી. અને ડેન્‍ટલ હોસ્‍પિટલ  કે જે વિદ્યાનગર મેઈન રોડ. ૨૦૨ લાઈફ લાઈન બિલ્‍ડીંગ રાજકોટ ખાતે આવેલ છે જે ૧૫  વર્ષ પૂરા કરી ૧૬  માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓને  મો.૯૪૨૮૦ ૦૩૮૪૮ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે

 

(12:01 pm IST)