Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વંથલી તાલુકાના પત્રકાર ધનેશભાઇ રાચ્‍છનો આજે જન્‍મદિવસ

જુનાગઢ,તા.૧ : વંથલી તાલુકાના શાપુર ગામના વતની અને છેલ્લા ૨૦ વર્ષથી અખબારી ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવા પત્રકાર ધનેશભાઈ રાચ્‍છનો આજે ૧ જુલાઈના રોજ જન્‍મદિવસ છે. અખબારી વિતરક તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ વંથલી તાલુકામાં ગામડે ગામડે બનતી સામાજિક, રાજકીય, સેવાકીય, સંસ્‍થાકીય પ્રવળત્તિઓને શબ્‍દોમાં કંડારીને રજૂ કરી છે.ઉપરાંત લોકોની રોજિંદી સમસ્‍યાઓ તથા સરકારી કચેરીઓમાં પડતી મુશ્‍કેલીઓ અને પ્રશ્‍નોને તટસ્‍થતાથી વાચા આપનાર ધનેશભાઈ પોતે પણ વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે. આજે  તેમના ૪૨ માં જન્‍મદિવસ નિમિતે તેમના મો.નં. ૯૯૦૯૩૧૦૩૦૨ પર અભિનંદનની વર્ષા  થઈ રહી છે.

 

(1:08 pm IST)